ઉઘાડી લુંટ

મારે કોઈ પણ સામાજિક પ્રસંગોમાં કે મેળાવડામાં જવાનું થાય ત્યારે જો હું મારો પરિચય ડોકટર તરીકે આપું એટલે સામેવાળાના મનમાં પ્રાથમિક રીતે બેજ વિચાર આવે.પહેલો કે આમનો કોન્ટેક્ટ રાખવો સારો પડે ગમે ત્યારે કંઈ થાય તો "કામ" આવે.ને બીજો,જે ઘણાખરા લોકો મને પૂછી પણ લે કે ડોકટરો તો ભગવાનનો અવતાર કહેવાય,દર્દીઓ એને ભગવાન માને તો ડોક્ટરો, 'બિચારા' દર્દીને લૂંટે કેમ...???? હું કોઈ સુપર સ્પેશિયાલિસ્ટ નથી પણ મેં એ લોકોની દુનિયા ઘણી નજીકથી જોઈ છે,ને છેલ્લા અમુક વર્ષોથી અનુભવું પણ છું.એક રાતમાં ૧૦-૧૦ ડિલિવરી કરાવતા કે જિંદગી ને મોત વચ્ચે જોલા ખાતા દર્દીને બચાવતી વખતે ડોક્ટરનું સુખ,ચેન,કુટુંબ,કબીલો,સંબંધો બધું જ દાવ પર લાગેલું હોય છે.તમારા જ ઘરે પાર્ટી છે પણ તમે જ નથી કેમ?કારણકે એક ઇમરજન્સી આવી છે.રાતના ૧૨ કે સવારના ૪ ફોનની રિંગ વાગીને તમે દોડ્યા કારણકે તમે ડોક્ટર છો ને એક પેશન્ટ તકલીફ માં છે. મને આશા છે કે આપ સૌને જાણ હશે જ કે ડોક્ટરને પણ તાવ,શરદી,કળતર,મેલેરિયા,ડાયાબિટીસ, કેન્સર...વિગેરે વિગેરે થઈ જ શકે.☺️ પણ તાવની દવા લઇ ફોન સ્વિચ-ઓફ કરીને સુઈ જવું એને ના પરવડે..! વગર ડિગ્રીના સ્ટાફ પ...